Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ કહ્યું -હું મારા નિવેદન પર આજે પણ અડગ છું :હું એકતામાં માનનારો વ્યક્તિ છું

કોંગ્રેસની પણ આ જ વિચારધારા છે કે જો બધા એક હશે તો જ વિકાસ થશે. પરંતુ ભાજપ મારી નાની ક્લિપ વાયરલ કરાવી ખોટો વિવાદ ઉભો કરાવી રહી છે.

રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલભાઈ  રાજ્યગુરૂએ અલ્લાહ અને મહાદેવ અંગે નિવેદન આપ્યા બાદ વિવાદ સર્જાયો છે, ત્યારે વિવાદ બાદ હવે ઇન્દ્રનીલભાઈ  રાજ્યગુરૂએ સ્પષ્ટતા કરી છે

 ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂએ જણાવ્યું કે મેં જે કહ્યું તેના પર હું આજે પણ અડગ છું. હું એકતામાં માનનારો વ્યક્તિ છું. મારા મતે મહાદેવ અને અલ્લાહ એક જ છે.કોંગ્રેસની પણ આ જ વિચારધારા છે કે જો બધા એક હશે તો જ વિકાસ થશે. પરંતુ ભાજપ મારી નાની ક્લિપ વાયરલ કરાવી ખોટો વિવાદ ઉભો કરાવી રહી છે. ભાજપ પાસે ચૂંટણીલક્ષી કોઇ મુદ્દાઓ નથી આથી હવે વિવાદ ઉભો કરવાના પ્રયાસો કરી રહી છે.

(7:16 pm IST)