Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગુરૂનાનકદેવ જયંતિ તથા પૂનમ નિમિતે

સોમવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે જમ્બો કેક કટીંગ-ધ્યાન-ભકિતનો ઉત્સવ

મિસ્ત્રી નીતિનભાઈ ચાંદેગરાનું વિશેષ પ્રવચન-ગાઈડ લાઈન્સ પ્રમાણે કાર્યક્રમનું આયોજન થશે

રાજકોટઃ. ઓશોના સૂત્ર 'ઉત્સવ અમાર જાતિ આનંદ અમાર ગોત્ર'ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો. ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન, ગીત, સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં રાત-દિવસ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો - સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવારનવાર ઉત્સવો ઉજવવામાં આવે છે.

આગામી તા. ૩૦ને સોમવારને રોજ ગુરૂનાનકદેવ જયંતિ તથા પૂનમ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે દર વર્ષની માફક ગુરૂનાનકદેવજીનો જન્મ ઉત્સવ, જમ્બો કેક કટીંગ કરીને ધ્યાન, ભકિતથી સાંજના ૬.૪૫ થી ૭.૪૫ દરમ્યાન ઉજવવામાં આવશે. ઉત્સવમાં સહભાગી થનારે માસ્ક તથા સેનીટાઈઝર ફરજીયાત રહેશે.

કાર્યક્રમનુ સરનામુઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં ૪-વૈદ્યવાડી, 'ડી' માર્ટની પાછળની શેરી - રાજકોટ

વિશેષ માહિતી માટે (૧) સ્વામિ સત્ય પ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૬, મો. સંજીવ રાઠોડ - ૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:37 pm IST)