Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

જેસીઆઇ ઇન્ડીયા ઝોન-૭ ની કમીટીમાં ગીરીશ ચંદારાણા ઝોન ડાયરેકટર

રાજકોટ તા ૨૮ : જેસીઆઇ ઇન્ડીયા ઝોન-૭ નું વાર્ષિક અધિવેશન જામનગરમુકામે યોજવામાં આવ્યું હતું જેમા વર્ષ ૨૦૧૯ ની ઝોન ગવર્નીંગ બોર્ડની નિમણુઁક અને શપથવીધીનો કાર્યક્રમ યોજાયો હતો.

જેસીઆઇ રાજકોટ યુવામાંથી જેએફએમ ગીરીશ ચંદારાણામો.નં. ૯૮૨૫૧ ૫૭૮૨૧  ઝોન ડાયરેકટર મેનેજમેન્ટ તરીકે નિમણુંક થયેલ છે. જે જેસીઆઇ રાજકોટ યુવા સાથે સાથે રાજકોટે પણ ગોૈરવ લેવા જેવી વાત છે.

જેએફએમ ગીરીશ ચંદારાણા જે વર્ષ ૨૦૧૮ માં ઝોન ડાયરેકટર (જી.એન્ડ ડી) ની પોસ્ટમાં હતા. તેમની સારી કામગીરીને ધ્યાનમાંરાખી જેસીઆઇ ઇન્ડીયા ઝોન-૭ દ્વારા ઝોન ડાયરેકટર મેનેજમેન્ટની પોસ્ટ આપેલ છે. આ તકે સર્વે જેસીઆઇ રાજકોટ યુવાની ટીમ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવેલ તેમ સેક્રેટરી પલક ચંદારાણાની યાદીમાં જણાવાયું છે

(3:44 pm IST)