Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વોર્ડ નં. ૨ના આરાધના સોસાયટી અને સખિયાનગર વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકાના  શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં એરપોર્ટ રોડ પર આવેલ આરાધના સોસાયટી અને સખિયાનગર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૦૨ના પ્રભારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા,જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, પૂર્વ ડે.મેયર જશુમતીબેન વસાણી, ગુલાબસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, જયસુખભાઈ પરમાર, નીશ્ચલભાઈ જોષી, નિલેશભાઈ વ્યાસ, રાજેન્દ્રસિંહ ગોહેલ, સીમાબેન અગ્રવાલ, હર્ષિદાબા કનોજીયા, અમીબેન પારેખ, રીનાબેન ઉપાધ્યાય, વર્ષાબેન, જીવીબેન પરસાણા, દેવીબેન જોષી, તૃષિતાબેન દવે, જયશ્રીબેન પુજારા, મધુબેન, રેખાબેન દીક્ષિત, હિનાબેન રાણપરીયા, મીનાબેન રાજદેવ, ગીતાબેન, છેલભાઈ રાવલ, રાજુભાઈ પારેખ, ચંદ્રકાંતભાઈ રાણપરા, જયેશભાઈ શેઠ, ચિંતનભાઈ દવે તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:45 pm IST)