Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મોટા દેવળીયાના ચંદુભાઇ જાવીયાનું રાજકોટમાં મોત

સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી પાસેથી અજાણ્યા તરીકે બેભાન મળ્યાઃ ફોન નંબર પરથી ઓળખ થઇ

રાજકોટ તા. ૨૮: સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પાસેથી એક અજાણ્યા પુરૂષ બેભાન મળતાં સિકયુરીટી ગાર્ડએ સારવાર માટે ખસેડ્યા હતાં. પણ તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ કાર્યવાહી કરી હતી.

મૃતક પાસેથી ફોન નંબર મળતાં તેના આધારે તપાસ થતાં તેઓ બાબરાના મોટા દેવળીયાના વતની ચંદુભાઇ શંભુભાઇ જાવીયા (પટેલ) (ઉ.વ.૫૦) હોવાનું ખુલતાં તેમના સ્વજનોને જાણ કરાઇ હતી. પોલીસના કહેવા મુજબ મૃતક અપરિણીત હતાં અને પાંચ ભાઇમાં નાના હતાં. એકલવાયુ જીવન જીવતાં હતાં. બિમાર હોઇ દવા લેવા આવ્યા બાદ બેભાન થઇ ગયા હતાં અને મૃત્યુ થયું હતું.

(11:00 am IST)