Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભીમરાવનગરમાં ઘરકંકાસથી કંટાળી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ર૮ : આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતી બીહારની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા એરરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ બીહારની વતની હાલ આજીડેમ ચોકડી ભીમરાવનગર મેઇન રોડ પર રહેતી ભીમરાવનગર મેઇન રોડ પર રહેતી ચૂનચૂન જયદેવભાઇ શાહ (ઉ.ર૮) એ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો પરિણીતાને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ના ઇએમટી ભાવેશભાઇ તથા પાઇલોટ પૃથ્વીરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ કરતા પરિણીતાનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ.જી.એન.વાઘેલા સહિત સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક ચૂનચૂનના ત્રણવર્ષ પહેલા લગ્ન થયા હતા તેણે ઘરકંકાસના કારણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ છે.

(2:45 pm IST)