Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કોલસાવાડીમાં ૮૦ વર્ષના ઇન્દિરાબેન ધુકેલાનો થાઇરોઇડથી કંટાળી સળગી જઇ આપઘાત

પુત્ર અને પુત્રી જંકશન પ્લોટમાં બીજા મકાનમાં સામાન ફેરવવા માટે ગયા'તા

રાજકોટ તા. ર૮ : જંકશન પ્લોટ કોલસાવાડીમાં આવેલા શની એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધાએ થાઇરોઇડની બીમારીથી કંટાળી સળગી થઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.મળતી વિગત મુજબ જંકશન પ્લોટ કોલાસાવડી પાસે આવેલ શની એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૪માં રહેતા ઇન્દીરાબેન જાનીભાઇ ધુધેલા (ઉ.૮૦) એ સવારે પોતાના ઘરે પોતાની જાતે કેરોસીન છાંટી સળગી જતા દેકારો બોલતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. બાદ તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ના ઇએમટી ભાવનાબેન તથા પાઇલોટ રઘુનાથસિંહએ સ્થળપર પહોંચી તપાસ કરતા વૃધ્ધાનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ મથકના હેડ કોન્સ ચંદ્રસિંહ અને રાઇટર આનંદભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.મૃતક ઇન્દીરાબેનને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે તે બંને જંકશન પ્લોટની પાછળ બીજુ મકાન લીધુ હોવાથી સામાન ફેરવવા માટે ગયાહતા. ઇન્દીરાબેન છેલ્લા ઘણા સમયથી  થાઇરોઇડની બીમારીથી પીડાતા હોઇ તેથી કંટાળી જઇ તેણે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

(2:44 pm IST)