Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભાજપ દ્વારા તમામ શકિત કેન્દ્રોમાં 'મન કી બાત'નો કાર્યક્રમ

દર માસના અંતિમ રવીવારે નરેન્દ્રભાઇ મોદી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે.આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે. તે અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં શકિત કેન્દ્રો પર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ 'મન કી બાત' કાર્યક્રમ યોજાયો હતો.તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. વોર્ડ નં.૭ના શકિત કેન્દ્રો ઉપર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી જે.પી.ધામેચા, કમલેશ હીન્ડોચા, રાજુ ચાવડા, ટીનાભાઇ કોઠારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરભરમાં 'મન કી બાત' કાર્યક્રમની વ્યવસ્થા મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે સંભાળી હતી.

(2:37 pm IST)