Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોઠારીયા રોડ હુડકોમાં ૭૧ વર્ષના ઇન્દ્રસિંહ ઝાલાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

કેન્સરની બિમારીથી કંટાળી જઇ પગલુ ભરી લેતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ પર જુના હુડકો કવાર્ટર શેરી નં. ૩૬ શકિત કૃપામાં રહેતાં ઇન્દ્રસિંહ નટુભા ઝાલા (ઉ.વ.૭૧) નામના વૃધ્ધે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી કિશનભાઇએ કરતાં કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પીએસઆઇ રાઠોડે ભકિતનગર પોલીસને વાકેફ કરતાં હેડકોન્સ. પી.જી. વાંક તથા મદદનીશ અક્ષયરાજસિંહ રાણાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સવારે પુત્ર કિરીટસિંહ પિતા ઇન્દ્રસિંહ ઝાલાને જગાડવા ગયા ત્યારે તેઓ લટકતા જોવા મળ્યા હતાં. તાકીદે નીચે ઉતારી ૧૦૮ બોલાવાઇ હતી. પરતુ તેના તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. કેન્સરની બિમારીથી કંટાળીને આ પગલુ  ભર્યાનું બહાર આવ્યું છે.

(12:55 pm IST)