Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

એન્જિનીયરીંગ બ્લોકને કારણે રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન ૨૭મી ઓકટોબર સુધી દરરોજ સવારે એક કલાક મોડી ઉપડશે

રાજકોટ તા. ૨૮: ભકિતનગર-રિબડા-ગોંડલ સેકશનમાં ટ્રેક રિપેરીંગ કાર્ય માટે એન્જિનીયરીંગ બ્લોક લેવામાં આવશે. આ કારણે રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન નં. ૫૯૫૦૭ આજ તા. ૨૮ થી આગામી તા. ૨૭ ઓકટોબર સુધી પોતાના નિર્ધારીત સમય કરતાં એક કલાક મોડી ઉપડશે. આ ટ્રેન સવારે ૦૫:૧૦ કલાકે દરરોજ ઉપડતી હતી, તેના બદલે હવે સવારે ૦૬:૧૦ કલાકે રાજકોટથી ઉપડશે. યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેના રવિન્દ્ર શ્રીવાસ્તવે આ યાદી મોકલી છે.

(3:58 pm IST)