Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જંકશન પ્લોટ- ગાયકવાડી પ્લોટના વેપારીઓએ પ્રવાસની મજા માણી

રાજકોટઃ જંકશન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળના વેપારીઓની આંતરીક એકતા તથા ભાઈચારો વધે અને પારીવારીક ભાવના મજબુત બને તે ઉદેશથી તાજેતરમાં જંકશન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ દ્વારા એક ફ્રિ પ્રવાસનું આયોજન કરેલ હતું. જે રાજકોટથી ચોરેશ્વર, ભવનાથ મહાદેવ જુનાગઢ જલારામ વિરપુરથી રાજકોટ રૂટ હતો. પ્રવાસમાં વેપારીઓએ તેના વેપારી મંદી તથા બીજી સમસ્યાનો ભાર હળવો કરવા. આ આયોજન થયું હતું. પ્રવાસ સફળ બનાવવા મંડળના પ્રમુખ જયકિશનભાઈ આહુજા, મંત્રી ગૌરવભાઈ પુજારાની આગેવાનીમાં ઉપપ્રમુખ મંગારામ જવરાણી, સહમંત્રી સુરેશભાઈ અઢીયા,  ખજાનચી અશોકભાઈ ઉધાણી, સહ ખજાનચી જયેન્દ્રભાઈ પારેખ, કમિટિ મેમ્બર જીણાભાઈ મેર, રાજુભાઈ આહુજા, સુનીલભાઈ બ્રિજલાણી, જેન્તીભાઈ પટેલ, હિંમતભાઈ ક્રિશનાણી, નિલેશભાઈ પરચાણી, ઘનશ્યામભાઈ ખાનચંદાણી, જગદીશભાઈ પરમાર, રમેશભાઈ સોલંકી, ઠાકુમલ લોકવાણી, હિતેષભાઈ બગડાઈ, ચંદ્રકાંતભાઈ આહુજા વિગેરેએ જહેમત ઉઠાવેલ.

(3:35 pm IST)