Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દાદાના ફેન જય માંગરોળીયાએ વ્હીલ ચેરમાં બેસીને અર્પી પુષ્પાંજલી

શેરેબરલ પાલસીનો દર્દી મમ્મીની મદદથી પહોંચ્યો

રાજવી મનોહરસિંહ જાડેજાની અંતિમયાત્રા ભૂતખાના ચોક પાસે પહોંચી ત્યારે શેરેબરલ પાલસીના દર્દી એવો નાનકડો જય માંગરોળીયા વ્હીલચેરમાં બેસીને દાદાના અંતિમદર્શનને પહોંચ્યો હતો અને ભીની આંખે ઠાકોર સાહેબના દર્શન કર્યા હતા અને પુષ્પાંજલી અર્પી હતી. જયના મમ્મીએ જણાવ્યુ હતું કે જય રાજવી મનોહરસિંહજીનો જબરો ફેન છે અને સવારથી જ દાદાના અંતિમદર્શન કરી પુષ્પાંજલી અર્પવાની ઇચ્છા દર્શાવી હતી. જયે વ્હીલચેરમાં બેઠા બેઠા જ પોતાના આદર્શ દદાને અંજલી અર્પી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:31 pm IST)