Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દાદાને શ્રધ્ધાંજલી આપવા પહોંચ્યાઃ હજ્જારોની મેદની અંતિમયાત્રામાં જોડાઈ

સવારે ૧૦.૩૦ વાગ્યે રણજીત વિલાસ પેલેસ ખાતેથી દાદાના પાર્થિવદેહને કુંવર માંધાતાસિંહજી અને પૌત્ર જયદીપસિંહજી (રામરાજા)એ કાંધ આપી અંતિમવિધિ માટે આગળ વધ્યા ત્યારની પ્રથમ તસ્વીર. નીચેની તસ્વીરમાં પાલખીયાત્રા દરમિયાન દાદાને શ્રધ્ધાંજલી અર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અંતિમયાત્રામાં જોડાયેલા પ્રદેશ ભાજપના અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારિયા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ નજરે પડે છે. અંતિમ તસ્વીરમાં દાદાના પાર્થિવદેહને અંતિમવિધિ માટે લઈ જવાઈ રહેલો નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:29 pm IST)