Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

લાખાજીરાજ રોડ પર પ્રતિમા સમક્ષ સર્જાયા ભાવુક દ્રશ્યો

સર લાખાજીરાજ પુસ્તકાલય ખાતે પુષ્પાંજલિ : અંતિમયાત્રા વખતે પ્રતિમાની સાક્ષીએ દાદાને ફુલહાર

રાજકોટ : રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાનું ગઇકાલે સાંજે દુઃખદ અવસાન થતાં ઘેરો શોક છવાઇ ગયો છે. આજે સવારે મનોહરસિંહજી જાડેજાની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા લાખાજીરાજ રોડ ઉપરથી નીકળી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને દાદાની પ્રતિમા (લાખાજીરાજબાપુ)ની સાક્ષીએ પૌત્ર મનોહરસિંહજી જાડેજાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

(4:09 pm IST)