Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

હળવદમાં હિન્દુ રાષ્ટ્રવાદી કાર્યકરો ઉપર બેરહેમીથી હુમલો અંગે તપાસ કરોઃ આવેદન

રાજકોટ તા. ર૮: શહેરની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ શાખાએ કલેકટરને આવેદન પાઠવી હિન્દુ રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ પર બેરહેમીથી હુમલો કરવા બદલ તપાસ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલી કે, મોરબી જિલ્લાના હળવદ મુકામે હિન્દુ રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ દ્વારા ભાઇચારાના સમજુતિના ભાગ રૂપે વિધર્મિ કાર્યકર્તાઓ સાથે સકારાત્મક બેઠક કરવા માટે વિધર્મિઓના ઘરે જતા વિધર્મિઓએ તેમની ગદારીના સંસકારો મુજબ ભાઇચારાના ભાવથી આવેલા હિન્દુ રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ ઉપર તલવાર અને તેના જેવા બીજા હિંસક શસ્ત્રોથી એકજૂટ થઇ જાનથી મારી નાખવાના ભાવથી વિધર્મિઓએ ખુબજ બેરહેમી પૂર્વક રાષ્ટ્રઘાતક હુમલો કર્યો છે. તો આવા દેશદ્રોહી વિધર્મિઓ ઉપર કડક હાથે કાર્યવાહી થાય અને અમારો આ અવાજ આપના માધ્યમથી ગુજરાત સરકાર સુધી પહોંચે અને ભવિષ્યમાં આવા દેશદ્રોહી વિધર્મિઓની તાકાત જે વધેલી છે એને નિર્મુળ કરવા સરકારને વિનંતી કરીએ છીએ.

આવેદનપત્ર દેવામાં કમલેશભાઇ પાનસુરીયા, ચંદુભાઇ ઇવાયા, જેતીંભાઇ પટેલ, છગનભાઇ પટોડીયા, દિલીપભાઇ સોલંકી, ભરતભાઇ સુદાણી વિગેરે જોડાયા હતા.

(4:09 pm IST)