Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દાદાને સરગમ પરિવારની શ્રધ્ધાંજલી

રાજકોટઃ રાજકોટના રાજવી, ઉમદા શાશક અને પ્રખર વકતા મનોહરસિંહ જાડેજાના દુઃખદ નિધન બદલ સરગમ પરિવારે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી છે અને શ્રધ્ધાંજલી  આપી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા આજે સવારે સ્વ.મનોહરસિંહ જાડેજાના અંતિમ દર્શને ગયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  સ્વ.મનોહરસિંહ જાડેજા સરગમ કલબની સ્મશાન જીર્ણોધ્ધાર કમિટીમાં પણ હતા અને આજે જે નવનિર્મિત સ્મશાન છે તેના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો  હતો. સ્વ.મનોહરસિંહ જાડેજા હંમેશા સરગમ કલબના હોદેદારોને સેવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા અને કાર્યોની પ્રશંશા પણ  કરતા હતા. મનોહરસિંહ જાડેજાનું નિધન થયા ના સમાચાર મળતા જ સરગમ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને અંજલિ પાઠવવામાં આવી હતી.ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે કે,દાદાના નિધનથી રાજકોટને એક ન પુરી શકાય એવી ખોટ પડી છે.

(3:23 pm IST)