Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સ્વાઇન ફલૂએ વધુ બે જીવ લીધાઃ સિવિલ હોસ્પિટલમાં ૭ પોઝિટીવ દર્દી

રાજકોટ તા. ૨૮: સ્વાઇન ફલૂએ ગઇકાલે વધુ બે ભોગ લેતાં શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલનો કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. ગત સાંજે એક દર્દીનું મોત ખાનગી હોસ્પિટલમાં અને એક દર્દીનું મોત સિવિલ હોસ્પિટલમાં થયું છે. સિવિલમાં આજે ૭ દર્દી સારવાર હેઠળ છે. જે તમામના રિપોર્ટ પોઝિટીવ છે.

શહેર જીલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઇન ફલૂના ૫૭ દર્દીઓ નોંધાયા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના ૧૧ કેસ હતાં. શહેર વિસ્તારના ૧૪ કેસ અને અન્ય જીલ્લાઓમાંથી આવેલા ૨૮ દર્દીઓ હતાં. શહેરની ખાનગી તથા સિવિલના મળી હાલના દિવસમાં કુલ ૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે. ગત સાંજે ખાનગી હોસ્પિટલમાં એક દર્દીએ દમ તોડી દીધા બાદ સિવિલમાં વીસાવદર પંથકના ૬૦ વર્ષના વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. (૧૪.૬)

(12:13 pm IST)