Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

PM મોદી અને CM રૂપાણીએ રાજવી મનોહરસિંહજી જાડેજાને પાઠવી શ્રધ્ધાંજલિ

રાજકોટઃ રાજકોટના ભૂતપૂર્વ રાજવી તેમજ ગુજરાતની ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાએ ગુરુવારે લાંબી માંદગી બાદ  અંતિમ શ્વાસ લીધા. રાજકોટના લોકો તેમને 'દાદા'ના હુલામણા નામથી ઓળખતા હતા. તેમના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યકત કર્યો છે.

રાજકોટના પૂર્વ રાજવીના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ઘાંજલિ પાઠવી હતી. મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી મનોહરસિંહજીના નિધનથી ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. તેઓ એક સમર્પિત ધારાસભ્ય અને સારા વ્યવસ્થાપક હતા. પાર્ટીમાં તેમનું ખૂબ માનપાન હતું. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવારજનો અને શુભચિંતકોની સાથે છું.'

રાજકોટના પૂર્વ રાજવીને શ્રદ્ઘાંજલિ પાઠવતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, 'ગુજરાતના પૂર્વ મંત્રી અને ખૂબ જ સારા ધારાસભ્ય એવા શ્રી મનોહરસિંહજીના નિધનથી હું ખૂબ દુઃખી છું. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવારની સાથે છું. ઓમ શાંતિ...'

(10:05 am IST)