Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

હોસ્પિટલમાં ફલાય ઓવર બનાવો ત્યારે ડો. આંબેડકરજીની પ્રતિમાનું સ્થળાંતર જરૂરી

રેસકોર્ષ અથવા શાસ્ત્રીમેદાનમાં બાબા સાહેબની પ્રતિમાનું સ્થળાંતર કરવા સ્વયં સૈનિક દળનું સુચન

રાજકોટ તા.૨૭: શહેરનાં હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવર બ્રીજ બનાવવાનો નિર્ણય મ્યુ.કોર્પોરેશન દ્વારા લેવાયો છે ત્યારે આ ચોકમાં આવેલી બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાનું સ્થળાંતર કરવા સ્વયં સૈનિક દળે મ્યુ.કોર્પોરેશનને રજુઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે ''હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવર બનવાથી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઢંકાઇ જશે. એટલું જ નહિં જગ્યામાં સંકડાસ વધશે અને ગંદકી ફેલાશે જે દેશની વીર વિભૂતિની અવગણના સમાન થશે. આથી આવુ ન થાય તે માટે ડો. આંબેડકરની પ્રતિમાનું શાસ્ત્રીમેદાનમાં એસ.બી.એસ. જીમખાનાનાં ખુણા ઉપર અથવા રેસકોર્ષમાં શિવાજી ગાર્ડનનાં સ્થળે સ્થળાંતર કરવા રજૂઆતો  કરી છે.

(4:08 pm IST)