Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

BSNL કર્મચારીઓની દિલ્હીમાં હડતાલઃ રાજકોટ સહિત ગુજરાત સર્કલમાં માત્ર દેખાવો તથા ધરણા

રાજકોટમાં બીએસએનએલ કર્મચારીઓએ હડતાલ રદ્દ કરી માત્ર ધરણા-દેખાવો યોજયા તે નજરે પડે છે

રાજકોટ, તા. ૨૮ :. આજે બીએસએનએલના ૬૦ હજારથી વધુ કર્મચારીઓ - અધિકારીઓ પગાર અનિયમીતતા સહિતના એક ડઝન પ્રશ્નો અંગે હડતાલ પર જનાર હતા. પરંતુ બપોરે ૨ વાગ્યે મળતી વિગતો મુજબ માત્ર દિલ્હી ખાતે જ ભૂખ હડતાલ યોજાઈ છે. અન્ય રાજ્યોમાં હડતાલ રદ્દ થયાનું અથવા તો ફિયાસ્કો થયાનું બહાર આવ્યુ છે. ગઈકાલે સાંજે મેનેજમેન્ટ સાથે પોઝીટીવ મંત્રણા થઈ પરંતુ ડોટમાંથી કોઈ હાજર નહિ રહેતા મંત્રણા પડી ભાંગી હતી. રાજકોટ અને ગુજરાતના તમામ સર્કલમાં હડતાલ રદ્દ કરાઈ છે. માત્ર ધરણા અને દેખાવો યોજ્યા હતા.

(3:39 pm IST)