Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પૂ.કમલપ્રભાશ્રીજી, કોવિંદ પ્રજ્ઞાશ્રીજી તથા પૂ.કવીશપ્રજ્ઞાશ્રીજી આનંદનગર શ્વે.મૂ.જૈન સંઘમાં ચાતુર્માસ અર્થે બીરાજમાન

પંજાબ કેસરી પૂ.વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના સુશિષ્યા પૂ.પ્રભાશ્રીજી મ.સ.ના સુશિષ્યાઓ

રાજકોટઃ શ્રી આનંદનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ (વાસુપૂજય જીનાલય)ના ટ્રસ્ટીઓની યાદી જણાવે છે કે પંજાબ કેસરી વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના સુશિષ્યા પ્રભાશ્રીજી મહારાજના શિષ્ય પૂજય કમલપ્રભાશ્રીજી તથા કોવિંદ પ્રજ્ઞાશ્રીજી તથા કુ.કવીશપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબોનો ચાતુર્માસ પ્રવેશ ગુરૂપુર્ણીમાં પહેલા વાજતે-ગાજતે પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલથી આનંદનગર વાસુપુજય સ્વામી જીનાલય તેમજ ઉપાશ્રય ખાતે ઢોલ-શરણાઇની રમઝટ તથા શ્રમજીવી સંઘ, પ્રહલાદ પ્લોટ સંઘ, નાગેશ્વર પાર્શ્વનાથી જૈન સંઘ, મણિયાર દેરાસર વિગેરેના આગેવાનો તથા બહોળા પ્રમાણમાં શ્રાવક શ્રાવિકાઓની હાજરી સાથે ભવ્ય પ્રવેશ થયેલ છે સવારે ૮ થી ૯ વ્યાખ્યાન ચાલુ છે રાજકોટના દરેક દેરાવાસી સંઘોના ભાઇઓ-બહેનોએ બહોળા પ્રમાણમાં હાજરી આપવા સંઘના ટ્રસ્ટીઓ રામજીભાઇ વી.ગાલા, રમેશચંદ્ર ડી.ટોળિયા, બિપીનચંદ્ર બી.ગાંધી (એડવોકેટ), રોહિતભાઇ ડી.મહેતા, દેવેન્દ્રભાઇ એમ.ટોળિયા, રમેશભાઇ પી.શાહની યાદી જણાવે છે.

(2:45 pm IST)