Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા કાલે ''કહી ન કહી કોઈ હૈ- પરિવાર પરીચય મિલન''

સમાજના પ્રતિભાશાળી આગેવાનોનું વિશેષ સન્માનઃ હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ

રાજકોટ,તા.૨૮: શ્રી દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ- રાજકોટ દ્વારા આવતીકાલે તા.૨૯ના રવિવારનાં રોજ બપોરે ૧ કલાકથી રાષ્ટ્રીકક્ષાનો કાર્યક્રમ ''કદીં ન કદીં કોઈ હૈ- પરીવાર મિલન-૨૦૧૮'' હેમુ ગઢવી હોલ ખાતે યોજાએલ છે.

આ કાર્યક્રમની સાથે જ સમગ્ર ભારતમાં દશનામ ગોસ્વામી સમાજમાં ખૂબ પ્રતિષ્ઠીત શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે. જેમાં દશનામ ગોસ્વામી સમાજનાં અમદાવાદ નિવાસી બે પ્રસિધ્ધ ઉદ્યોગપતિ દાતા ચિમનપુરી- અમદાવાદ તથા હરેશભાઈ- અમદાવાદને ''દશનામ શિરોમણી'' સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

ગુજરાત સરકારનાં ગુજરાતી ચલચિતનાં આ વર્ષનાં ૧૦-૧૦ એવોર્ડ વિજેતા ફીલ્મ ''પ્રેમજી- રાઈઝ ઓફ એ વોરીયર'' ગુજરાતી અબેન મુવિનાં પ્રતિભાશાળી દિગ્દર્શક વિજયગીરી બાવાનો ''દશનામ પ્રતિભા'' સન્માનથી સન્માનિત કરવામાં આવશે. જેઓનાં દિગ્દર્શક પદે બનેલી શોર્ટફિલ્મ ''મહોતુ''ને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચુકયો છે. ભારતનાં રાષ્ટ્રપતિનાં હસ્તે પ્રજાસત્તાક દીને મરણોયરાંત અશોકચક્ર મેળવનાર વિર શહિદ મોહનનાથ ગોસ્વામીને પણ દશનામ વિરલવિતુતિ સન્માન મરણોપરોત એમના પરીવારને એનાયત થનાર છે. નારી અસ્મિતાનાં પ્રણેતા કૈલાસવાસી ડો.રમાબેન પી.પુરીને પણ તેઓની સેવા બદલ મરણોપરાંત 'દશનામ વિરલ વિભુતિ' સન્માન તેઓનાં પરીવારને એનાયત થનાર છે.

આયોજનને સફળ બનાવવા દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપનાં ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ નિલેશપુરી અને.ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ પ્રેસિડેન્ટ ગીરીશપુરી, કન્વીનર કલ્પનાબેન, લેડીઝ કલબ પ્રેસિડન્ટ શિલ્પાબેન, સેક્રેટરી અમુલગિરી તથા મહેશપુરી, રાજનગિરી, દેવાંગગીરી, કલ્પેશગીરી, સાગરગીરી, તથા મહીલા પાંખના સરોજબેન, ગીતાબેન, પલ્લવીબેન, તેજલબેન, શ્રધ્ધાબેન, ઉર્વશીબેન, દિપ્તીબેન, પ્રજ્ઞાબેન, પ્રિતીબેન, સપનાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી) (૩૦.૧૦)

(4:05 pm IST)