Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ગાયત્રીનગરના દરજી પ્રોૈઢનું વેવાઇના ઘરે હાર્ટએટેકથી મોત

કિરીટભાઇ સાંચલા (ઉ.૫૪)વિશ્વનગર કવાર્ટરમાં બેસવા ગયા ને બનાવ બન્યો

રાજકોટ તા. ૨૮: ગાયત્રીનગર-૨ બંધ શેરીમાં રહેતાં કિરીટભાઇ વલ્લભભાઇ સાંચલા (ઉ.૫૪) નામના દરજી પ્રોૈઢ સાંજે વિશ્વનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં વેાવઇ અમૃતભાઇ વાઢેરના ઘરે બેસવા ગયા ત્યારે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

કિરીટભાઇ એક બહેનથી નાના હતાં અને નિવૃત જીવન ગાળતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ જરૂરી કાર્યવાહી કરીહ તી.

(12:31 pm IST)