Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મ.ન.પા. દ્વારા કાલે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી 'ઓનલાઇન' આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે

રાજકોટ તા. ૨૮ : મ.ન.પા. દ્વારા આવતીકાલે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. ૨૯ના સવારે ૧૦ વાગ્યે ગાંધીનગરથી ઓનલાઇન આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિતભાઈ અરોરા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજય સરકાર દ્વારા તા.૨૯ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ જીલ્લા/શહેર કક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સવારે ૧૦ કલાકે કોન્ફરન્સ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો ઓનલાઈન શુભારંભ  રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા તથા અરવિંદભાઈ રૈયાણી, બક્ષી પંચ મોરચા પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી ઉદયભાઈ કાનગડ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.

(4:54 pm IST)