Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વોર્ડ નં.૧ના કોર્પોરેટર દુર્ગાબાનો આજે જન્મદિન : રકતદાન કેમ્પ યોજાયો

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧માં ભાજપના કોર્પોરેટર દુર્ગાબા જયદિપસિંહ જાડેજાનો આજે તા. ૨૮ જૂનના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૪૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દુર્ગાબા છેલ્લા ૧૦ વર્ષથી ભાજપ સાથે જોડાઇને ગાંધીગ્રામ વિસ્તારવાસીઓના પ્રશ્ને સતત કાર્ય કરી રહ્યા છે. ૨૦૧૫માં પ્રથમ વખત રાજકોટ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી વોર્ડ લડી નં. ૧માં ભવ્ય વિજય મેળવ્યો હતો. પ્રથમ ટર્મમાં વિસ્તારનાં લોક પ્રશ્નો ઉકેલવવા સતત દોડતા રહી સમસ્યા હલ કરવા અગ્રેસરની ભજવી હતી. તેઓને ૨૦૨૧માં યોજાયેલ મ.ન.પા.ની ચૂંટણીમાં ફરીથી પાર્ટીએ વિશ્વાસ મૂકી ટીકીટ ફાળવાયા. સતત બીજી ટર્મમાં કોર્પોરેટર પદે ચૂંટાયા છે. દુર્ગાબા જાડેજાના જન્મદિવસે નિમિતે સીતારામમિત્ર મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર હીરેનભાઇ ખીમાણીયા, ડો.અલ્પેશ મોરઝરીયા, વોર્ડ પ્રમુખ હીતેશ મારૂ, વોર્ડ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, મનોહરભાઇ બાબરીયા, રામદેવ આહિર તથા સીતારામ મંડળના સંજયભાઇ, જયરાજભાઇ, સન્નીભાઇ સહિતના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં રકતદાતા જોડાયા હતા.

તેઓ ભગીની ફાઉન્ડેશન અને ગાંધીગ્રામ મહિલા ક્ષત્રિય સંગઠન સહિત વિવિધ અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ છે. આજે દુર્ગાબાના જન્મદિવસે પરિવારજનો, રાજકીય અગ્રણીઓ શુભેચ્છાઓ દ્વારા વર્ષા વરસી રહી છે.

(3:49 pm IST)