Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારો રૈયાધારનો મીઠાલાલ ચૌહાણ પકડાયો

યુનિવર્સિટી પોલીસે રાજસ્થાની શખ્સને સુરેન્દ્રનગરથી દબોચ્યો

રાજકોટ, તા. ૨૮ :. રૈયાધાર વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સને યુનિવર્સિટી પોલીસે સુરેન્દ્રનગરમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને રાજસ્થાનનો હાલ રૈયાધાર મારવાડીનગરનો મીઠાલાલ ગુદડરામ ચૌહાણ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ થઈ હતી. આ બનાવની ગંભીરતા દાખવી પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડાની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમ્યાન આ શખ્સ સુરેન્દ્રનગર તરફ જવાનો હોવાની બાતમી મળતા પીએસઆઈ એ.બી. વોરા, એએસઆઈ બળભદ્રસિંહ, હેડ કોન્સ. ગિરીરાજસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, રાજેન્દ્રસિંહ, રાજેશભાઈ, લક્ષ્મણભાઈ, જયંતીગીરી, બળભદ્રસિંહ, રાવતભાઈ, બ્રીજરાજસિંહ તથા જ્યોતીબેન અને શીતલબેન સહિતે સુરેન્દ્રનગરથી ભોગ બનનાર સગીરાને મુકત કરાવી આરોપી મીઠાલાલ ગુદડરામ ચૌહાણ (ઉ.વ. ૨૧) (રહે. રૈયાધાર મફતીયાપરા મારવાડીનગરમાં જોગીંદરભાઈના મકાનમાં ભાડે મૂળ રાજસ્થાનના પાલી જીલ્લાના ખેડા મહારાજપુરા)ને પકડી લીધો હતો. બાદ પોલીસની તપાસમાં આરોપી મીઠાલાલે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો.

(3:48 pm IST)