Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

જંકશન અને ગાયકવાડીમાં ચોરી અને લુખ્ખાતત્વોની સમસ્યા દૂર કરવા રજૂઆત

વેપારી મંડળના પ્રમુખ અને મંત્રી સહિતના વેપારીઓની પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ, તા. ર૮ : શહેરના જંકશન પ્લોટ અને ગાયકવાડી પ્લોટમાં નાની-મોટી ચોરી અને દારૂ પી ધમાલ મચાવનારા શખ્સો સામે પગલા લેવા વેપારી મંડળ દ્વારા પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ કરી છે.

જંકશન પ્લોટ મેઇન રોડ પર આવેલ જંકશન પ્લોટ-ગાયકવાડી પ્લોટ વેપારી મંડળના પ્રમુખ જયકિશનભાઇ આહુજા અને મંત્રી ગૌરવભાઇ પુજારા સહિતના વેપારીઓએ પોલીસ કમિશનરને કરેલી લેખીત રજૂઆતમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં અવારનવાર નાની-મોટી ચોરીઓ થતી રહે છે અને પોલીસ મથકમાં સીસીટીવી ફૂટેજ પણ આપવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ દારૂ પીને ધમાલ મચાવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવાયું છે.

(3:47 pm IST)