Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વતનમાં જવા બાબતે પતિ સાથે ચડભડ થતાં એમ.પી.ની કુસુમનો ઝેર પી આપઘાત

જસદણના બોઘરાવદરનો બનાવઃ પરિણીતાનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨૮: જસદણના બોઘરાવદરમાં મુળ મધ્યપ્રદેશની પરિણીતાએ ઝેર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બોઘરાવદરમાં રહેતી અને પતિ સાથે ખેતીમાં મજૂરી કરતી કુસુમ રાજેશ ગણાવા (ઉ.૨૦)એ સાંજે ગામની સીમમાં ખડમાં છાંટવાની દવા પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં ત્રણ માસનો દિકરો છે. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે જાણ કરતાં જસદણના પીએસઆઇ આર. આર. ઝાલાએ રાજકોટ આવી કાર્યવાહી કરી હતી. કુસુમ હજુ દસેક દિવસ પહેલા જ વતનમાંથી અહિ આવી હતી. તેને પરત વતનમાં જવું હોઇ તે બાબતે પતિ સાથે ચડભડ થતાં આ પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું છે.

(3:44 pm IST)