Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

શ્રી રામ ધુન સંતવાણી મંડળ દ્વારા આવતીકાલે ૨૫ દીકરીઓના સમુહલગ્ન- રકતદાન કેમ્‍પ

રાજકોટઃ શહેરના દેવપરા જુની શાકમાર્કેટ મેઈન રોડ ઉપર આવેલ નિલકંઠ પાર્ક ગ્રાઉન્‍ડ ખાતે આવતીકાલે તા.૨૯ના રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રામધુન સંતવાણી મંડપ- રાજકોટ દ્વારા આયોજીત આ સમુલહલગ્નમાં ૨૫ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને રામાયણ, ગીતાજી, પાનેતર, સાડી સહિત ૧૨૮થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.
સમુહલગ્નની સાથોસાથ રકતદાન કેમ્‍પનું પણ આયોજન થયું છે. ભવાનીશંકર ત્રિવેદી અને રાઘવભાઈ ત્રિવેદી લગ્નવિધિ કરાવશે.
આયોજનને સફળ બનાવવા જાગૃતિબેન પંડયા, સુરજકુમાર પંડયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.૮૧૪૦૪ ૫૬૨૦૮ ઉપર સંપર્ક કરવો.

 

(4:21 pm IST)