Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મનપા દ્વારા કિશાનપરા ખાતે રવિવારે આઇ.પી.એલ ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણઃ સ્‍થળ મૂલાકાતે પદાધિકારીઓ- અધિકારીઓ

રાજકોટઃ આઇપીએલ પૂર્ણતા તરફ છે અને રવિવાર તા. ર૯ના રોજ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ ખાતે યોજાવાનો છે. મનપા દ્વારા પણ ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા વધામણા કરવાની સાથે કિશાનપરા રીંગ રોડ પર કોર્નરનાં ગ્રાઉન્‍ડમાં ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ LED સ્‍ક્રીન ઉપર  જોવાનું આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે આજે સવારે મેયર પ્રદિપ ડવ, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ તથા ડેપ્‍યુટી મ્‍યુનિ.કમિશ્નર ચેતન નંદાણી તથા આસી.મેનેજર અમિત ચોલેરાએ સ્‍થળ મુલાકાત લઇ સ્‍ક્રીન, બેઠક વ્‍યવસ્‍થા તથા સાઉન્‍ડ સીસ્‍ટમ વ્‍યવસ્‍થા સહિતની ચર્ચાઓ કરી હતી. તે વખતની તસ્‍વીર(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:15 pm IST)