Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો. એસ.એન. ગઢવીની બદલીના વિરોધમાં અંતે મેડિસિન વિભાગના 10 તબીબોના રાજીનામા: ડિનને આપ્યા રાજીનામા, ડિનએ કલેકટરને આ રાજીનામા ફોરવર્ડ કર્યા

રાજકોટ: સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો. ગઢવીની ઓચિંતી ભાવનગર બદલી થતા મેડિસિન વિભાગના તબીબોમાં રોષ વ્યાપી જતા બપોરે કલેકટરને રજુઆત કરી હતી. 10 તબીબો રાજીનામા આપી રહ્યાના મેસેજ વારયલ થયા હતા. અંતે સાંજે 10 તબીબોએ ડિન ડો. ગૌરવી ધ્રુવ સમક્ષ રાજીનામા ધરી દીધા છે. તેમણે કલેકટરને આ રાજીનામા ફોરવર્ડ કર્યા છે. બીજી તરફ ડો. ગઢવીની બદલી હાલ મોકૂફ રહ્યાની પણ ચર્ચા છે. ઑફિશિયલી વિગતો જાણવા મળતી નથી. 

રાજીનામા આપનાર તબીબો કોવિડ 19ની સ્થિતિ અંતર્ગત સેવા ચાલુ રાખશે.

૧૦ ડોકટરમાં ડો. એ. પી. ત્રિવેદી (એસો. પ્રોફેસર), ડો. એ. પી. ત્રિવેદી (એસો. પ્રોફેસર), ડો. પી. જે. દૂધરેજીયા (એસો. પ્રોફેસર), ડો. એમ. એન. અનડકટ  (એસો. પ્રોફેસર), ડો. આર. એમ. ગંભીર (એસો. પ્રોફેસર), ડો. એમ. ડી. પંચાલ (આસી. પ્રોફેસર), ડો. ડી. એ. બુધરાણી (આસી. પ્રોફેસર), ડો. એમ. એસ.ભપલ (આસી. અકિલા પ્રોફેસર), ડો. એચ. એન. મકવાણા (આસી. પ્રોફસેર), ડો. એમ. એમ. રાઠોડ (આસી. પ્રોફેસર) તથા ડો. પી.એસ. પાટીલ (આસી. પ્રોફેસર)નો સમાવેશ થાય છે. આ તમામના નામની સાથે મેડિકલ વિભાગના હેડ ડો. એસ. કે. ગઢવીચારણનું નામ પણ  સામેલ છે.

(9:02 pm IST)