Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ડીગ્રી ઇજનેરીમાં ૩પ હજાર બેઠકો ખાલી રહેશે...છાત્રોને ઘર આંગણે જ પ્રવેશ મળશે

વીવીપી કોલેજના પ્રિન્સીપાલ ડી.જયેશ દેશકરનું છાત્રોને માર્ગદર્શન

રાજકોટ, તા., ૨૮: ધોરણ-૧ર (વિજ્ઞાનપ્રવાહ)નું પરીણામ તાજેતરમાં જાહેર થયંુ. એ ગૃપ એન્જીનીયરીંગ ગૃપમાં કુલ ૩૩૨૮૬ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. ગુજકેટની એન્જીનીયરીંગ અને પેરામેડીકલમાં પ્રવેશ ગુજરાતી પરીક્ષા ૩૦ જુલાઇ ર૦ર૦ના રોજ આવશે.

 આ સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે. સારી બ્રાંચમાં સારી કોલેજમાં સરકારે નિર્ધારીત કરેલ ફીથી પ્રવેશ મળી જકે કે કેમ? કઇ બ્રાંચમાં પ્રવેશ લેવો, કઇ કોલેજમાં પ્રવેશ લેવો, પ્રવેશ માટેનો નિર્ણય કયા માપદંડના આધારે લેવો, આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા હોય છે.

આ વિશેષ માર્ગદર્શન આપતા વી.વી.પી. એન્જીનીયર કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર વિજ્ઞાન પ્રવાહમાં પાસ થનાર બધા જ વિદ્યાર્થી ભાઇઓઅબહેનોને અભિનંદન પાઠવેલ છે. તેમજ સાથે જણાવે છે ગત વર્ષના આંકડાઓને ધ્યાનમાં રાખતા સર્વપ્રથમ તો એ સમજી લેવાની જરૂર છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માન્ય સમગ્ર ગુજરાતમાં લગભગ ર૦ જેટલી સરકારી અને અંદાજીત ૧૧૬ સેલ્ફ -ફાઇનાન્સ એમ થઇ કુલ ૧૩૬ જેટલી એન્જીનીયરીંગ કોલેજોમાં ૭૦૦૦૦થી વધુ સીટો છે. જયારે પાસ થનાર વિદ્યાર્થીઓ માત્ર ૩૩,ર૮૬ છે. આ સંજોગોમાં એન્જીનીયરીંગમાં ૩પ,૦૦૦થી વધુ સીટો ગત વર્ષની જેમ ખાલી રહેવાની સંભાવના ખુબ જ પ્રબળ છે. માટે કોઇ પણ વિદ્યાર્થી અને વાલીએ પ્રવેશ મેળવવા માટે વધારાની ફી કે ડોનેશન આપીને દોડાદોડ કરીને પાછળથી પસ્તાવાની જરૂર નથી અને એસીપીસી એટલે કે એડમીશન કમીટી ફોર પ્રોફેશ્નલ કોર્સીસ દ્વારા ગુજકેટના ૪૦ ટકા માર્કસ અને ગુજરાત બોર્ડના ૬૦ ટકા માર્કસના આધારે મેરીટ માર્કસનું લીસ્ટ બનાવવામાં આવે છે. આ મેરીટના આધારે રાજયભરની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ડો.જયેશ દેશકરે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં એન્જીનીયરીંગની કુલ ૧૩૬ કોલેજોમાં અંદાજીત ૧૧૮ કોલેજમાં કોમ્પ્યુટરની ૧૩,૩૪૮ બેઠક, કેમીકલની ર૭૬૦ બેઠક, સિવિલની ૧૧૭ કોલેજમાં ૧ર,ર૮પ બેઠકો ઇલેકટ્રીકલની ૧૦૪ કોલેજોમાં ૮૮૩૭ બેઠકો, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ૬૩ કોલેજોમાં પ,૩પ૯ મીકેનીકલની ૧પર કોલેજોમાં ૧પ,ર૪૯ બેઠકો,  ઇલેકટ્રોનીક એન્ડ કોમ્યુનીકેશન ઇ.સી.બ્રાંચની ૬૦ કોલેજોમાં ૪,૯૪૦ બેઠકો તેમજ ઇન્સ્ટુમેશન કન્ટ્રોલ, ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ બાયોટેકનોલોજી એન્જીનીયરીંગ, પ્રોડકશન એન્જીનીયરીંગ, ઇન્ફોર્મેશન  એન્ડ કોમ્યુનીકેશન  ટેકનોલોજી, એગ્રીકર્લ્સ એન્જીનીયરીંગ વગેરે જેવી બધી બ્રાંચની કુલ ૯,૯ર૮ આમ કુલ બધી બ્રાંચની વાત કરીએ તો ૭ર,૮૧૬ જેટલી બેઠકો પ્રવેશપાત્ર છે. જયારે સમગ્ર રાજયમાં એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે યોગ્યતા ધરાવતા ૩૩,ર૮૬ જ વિદ્યાર્થીઓ છે.

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને તો ઘી કેળા છે. શ્રેષ્ઠ શિક્ષણ ઘર આંગણે ઉપલબ્ધ છે. કયાંય બહાર જવાની જરૂર નથી. સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન પ્રવાહના આંકડા જોઇએ તો રાજકોટમાંથી ૭,૧૮૧ જામનગરમાંથી ૧,૭૦૯, જુનાગઢમાંથી ર,૮૯ર, પોરબંદરમાંથી ૩૧૧, અમરેલીમાંથી ૧,૧૬૯, કચ્છમાંથી ૯૬ર, ભાવનગરમાંથી ૪,રપ૮, સુરેન્દ્રનગરમાંથી ૧,૩૩૭, બોટાદમાંથી ૬૯૯, દ્વારકામાંથી ૩૩૯, ગીર સોમનાથમાંથી ૧,ર૧૯ અને મોરબીમાંથી ૧,૭૧૯ આમ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લગભગ સરકારી પાંચ અને અંદાજીત ર૩ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો મળી કુલ ર૮ એન્જીનીયરીંગ કોલેજો છે. જેમાં સિવિલ ર૬૪૩, મીકેનીકલ ર,૮૮૮, ઇલેકટ્રીકલ-૧૬૭૧, કોમ્પ્યુટર-ર૩૧૮, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) ૧૦૬૦, ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન (ઇ.સી.) ૮૮૬, કેમીકલ પ૦પ,  ઇન્સ્ટુમેશન કન્ટ્રોલ,  ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ, બાયોટેકનોલોજી  એન્જીનીયરીંગ, પ્રોડકશન એન્જીનીયરીંગ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી, એગ્રીકલ્ચર્સ એન્જીનીયરીંગ જેવી બધી જ બ્રાંચોમાં કુલ ૧,૬૬૭ સાથે કુલ ૧૩,૬૩૮ બેઠકો સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉપલબ્ધ છે.

(3:50 pm IST)