Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

માધાપરના ઓમોયા ધારમાં પાણી,ગટર અને લાઇટની સુવિધા આપવા રજુઆત

સોસાયટીના સામાજીક કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યુ

રાજકોટ તા.૨૮: માધાપરની સોસાયટી (ઓમોયાધાર)ના પ્રમુખ અને સામાજીક કાર્યકર્તા હુસેનભાઇ એમ.અંસારી, મુસ્તુફાભાઇ એમ.અંસારી (ઓમેયાધાર માધાપર-૭ ગામ રાજકોટ) દ્વારા પાણી, ગટર, અને લાઇટ બેઝિક સુવિધાની નિર્ણાયક પરિસ્થિતિ માટે એસડીએમ ચરણસિંહજી ગોહેલને આવેદનપત્ર પાઠવેલ છે. આ આવેદનપત્ર સમિતિના સભ્યો બ્રિજશસિંહ રાજાવત, કુલદિપસિંહ રાજાવત, શતીશભાઇ ઓજા, જેન્તીભાઇ જાપડ્ડા, વિપુલભાઇ રાઠોડ, વિકાસ સાહાની(બોબી), ધવલભાઇ ભાયાણીએ ગામ વાસીઓ દ્વારા આપવામાં આવેલ હતું.

(2:50 pm IST)