Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પંચશીલ સોસાયટીમાં ભાગવત કથાથી ભકિતમય માહોલ : કાલે સમાપન

રાજકોટ : પંચશીલ સોસાયટી મહિલા મંડળ તથા કારોબારી કમીટી દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાતા સોસાયટીમાં ભકિતમય માહોલ છવાયો છે. પૂ. શ્રી લાલજી મહારાજ ભાવવાહી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન યોજાતા કાર્યક્રમોમાં ભજનીક જયદેવ ગોસાઇએ ભારે જમાવટ કરી હતી.  કથા આયોજનમાં મહિલા મંડળના બહેનો તેમજ સોસાયટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા,  ઉપપ્રમુખ મહેશભાઇ વડગામા, મંત્રી વિનયભાઇ તલસાણીયા, કાનજીભાઇ ડાંગર, કારોબારી સભ્યો રાજેશભાઇ આહ્યા, નાથાભાઇ ડોબરીયા, ચમનભાઇ ગોવિંદીયા, પ્રફુલભાઇ પંડયા, બાબુભાઇ પટેલ, પરબતભાઇ ભેટારીયા, યોગીરાજસિંહ જાડેજા વગેરેના માર્ગદર્શન હેઠળ સેવકગણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કથાની કાલે તા. ૨૯ ના પુર્ણાહુતી થશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(4:07 pm IST)