Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વાહ મનદીપસિંહ જાડેજા, ધો.૧૦ માં ૯૯.૯૫ પીઆર : સર્જન બનવુ છે

રાજકોટ તા. ૨૮ : આજે જાહેર થયેલ ગુજરાત બોર્ડ ધો.૧૦ ના પરિણામમાં જી. કે. ધોળકીયા સ્કુલના મનદીપસિંહ પ્રહલાદસિંહ જાડેજાએ ૯૯.૯૫ પીઆર મેળવી ગુજરાત બોર્ડમાં પાંચમો ક્રમ હાંસલ કરેલ છે. કાલાવડ રોડ પર કેબલ ઓપરેટરના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રહલાદસિંહ (મો.૯૮૨૫૧ ૯૯૭૭૨) ના દિકરા મનદીપસિંહને આગળ જઇને સર્જન બનવાની ઇચ્છા છે. તેમને દાદા-દાદી, સ્કુલ શિક્ષકોએ શુભેચ્છા પાઠવી છે.

(3:51 pm IST)