Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજકોટ ભાજપ સંગઠનના પ્રભારી તરીકે વિનોદભાઇ ચાવડા અને ઝવેરીભાઇ ઠકરારને આવકારતું શહેર ભાજપ

રાજકોટ,તા.૨૮: પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ પ્રદેશ ભાજપ  દ્વારા રાજયના વિવિધ જીલ્લા– મહાનગરના સંગઠનના પ્રભારીઓની વરણી કરવામાં આવેલ છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર માટે વિનોદભાઈ ચાવડા અને ઝવેરીભાઈ ઠકરારની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

મહાનગરના અન્ય આગેવાનોને પણ વિવિધ મહાનગરો–જિલ્લાના સંગઠનના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે,  જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજને સુરેન્દ્રનગર, રમેશભાઈ રૂપાપરાને જુનાગઢ જિલ્લા,  બીનાબેન આચાર્યને દેવભુમિ ઘ્વારકા, કશ્યપ શુકલને ભાવનગર શહેર, રક્ષાબેન બોળીયાને  રાજકોટ જિલ્લા ના પ્રભારી તરીકેની વરણીને આવકારી તમામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

નવનિયુકત પ્રભારી  વિનોદભાઈ ચાવડા અને ઝવેરીભાઈ ઠકરાર અને રાજકોટ મહાનગરના અન્ય આગેવાનો પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ સુરેન્દ્રનગર, રમેશભાઈ રૂપાપરા જુનાગઢ જિલ્લા, પ્રદેશ ભાજપ મંત્રી  બીનાબેન આચાર્ય દેવભુમિ દ્વારકા, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ ભાવનગર શહેર તેમજ પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા રાજકોટ જિલ્લા માં 'સેવા હી સંગઠન' અંતગર્ત ચાલી રહેલ સેવાકાર્યો અને વેકસીનેસન અભિયાનને  ભાજપ સંગઠનના માઘ્યમથી વેગવંતુ બનાવશે તેવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શુભેચ્છા પાઠવી આવકારસહ અભિનંદન પાઠવ્યા હતા.

(4:21 pm IST)