Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જીજ્ઞેશદાદા દ્વારા રાહતનિધિ ફંડમાં ૫ લાખ ૫૫ હજારનો ચેક અર્પણ

રાજકોટ : જાણીતા ભાગવત કથાકાર પૂજય જિજ્ઞેશ દાદા - રાધે રાધે એ આજે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની મુલાકાત લઇ કોરોના વાયરસ સામે લડવા મુખ્ય મંત્રી રાહત નિધિમાં રૂ. ૫ લાખ ૫૫ હજાર ૫૫૫નો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જિજ્ઞેશ દાદાએ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કોરોના વાયરસ સામે જનતાના આરોગ્યની કાળજી માટે લેવાયેલ પગલાં ની પ્રશંસા કરી હતી અને જનતાને અપીલ કરી હતી કે તે દ્યર બહાર બિલકુલ નીકળે નહી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી અને મુખ્યમંત્રા શ્રી વિજયભાઇ રુપાણી ની અપીલનું પાલન કરવા જણાવ્યુ હતું.

(3:51 pm IST)