Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બેંકવાળાઓએ ઉદારી દાખવી તેમ પીજીવીસીએલ પણ રાહત જાહેર કરે

સામાજીક અગ્રણી સુરેશ પરમારે ઉઠાવી માંગણી

રાજકોટ તા. ૨૮ : કોરોના વાઇરસની મહામારીના કારણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસો થકી બેંક ખાતા, એ.ટી.એમ., ટેકસ રીટર્ન ભરવાની મર્યાદા વધારી અપાઇ, ટી.ડી.એસ. રીટર્નનની મર્યાદાઓ વધારી અપાઇ તે વાતને સામાજીક અગ્રણી સુરેશ પરમારે સારી ગણાવી સાથો સાથ પી.જી.વી.સી.એલ. પણ ઇલેકટ્રીક બીલમાં રાહત જાહર કરે તેવી માંગણી ઉઠાવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ઉર્જા મંત્રીશ્રી સૌરવભભાઇ પટેલને પત્ર લખી ગુજરાતની પ કરોડની જનતાને સ્પર્શતા આ પ્રશ્ને ત્વરીત ઘટીત કરવા સુરેશભાઇ પરમારે માંગણી ઉઠાવી છે.

(2:49 pm IST)