Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારતિય વાયુસેનાને અભિનંદન પાઠવવા ખાસ બોર્ડમાં ઠરાવ થયો

રાજકોટ તા. ર૮ : મ્યુ.કોર્પોરેશનમાં આજે મળેલા ''ખાસ બોર્ડ''માં ભારતિય વાયુસેનાને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરાયો હતો. અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્ય દ્વારા રજુ કરાયેલ ઠરાવમાં જણાવાયું હતું. કે  રાષ્ટ્રની સુરક્ષા કાજે ફરજ બજાવતા સી.આર.પી.એફ.દળના જવાનો પર જમ્મુ - કાશ્મીર રાજ્યમાં પુલવામા  જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા તા.૧૪-૨-૨૦૧૯ના રોજ કરવામાં આવેલ હુમલામાં દેશના જવાનો શહીદ થયેલ. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ આ હુમલાના વળતા પ્રહાર તરીકે ભારતીય વાયુ સેના દ્વારા તા.૨૬-૨-૨૦૧૯ના રોજ પાકિસ્તાનના વિસ્તારમાં આતંકવાદીઓના આશ્રયસ્થાનો પર હુમલો કરી. સેંકડોની સંખ્યામાં આતંકવાદીઓ તથા તેમના આશ્રયસ્થાનોનો નાશ કરેલ છે. રાષ્ટ્રની સુરક્ષા કાજેની ભારતીય સૈન્યની આ સરાહની કામગીરીને આજની આ સામાન્ય સભા સલામ સાથે બિરદાવે છે. (પ-૪૪)

 

(3:54 pm IST)