Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સોરઠીયા રજપૂત સમાજના આંગણે કાલે સમૂહલગ્નઃ ૬ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ તા. ર૮: સોરઠીયા રજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કાલે તા. ર૯ના રવિવારે સવારે ૭ થી બપોરના ર સુધી કણકોટ, કૃષ્‍ણનગર ડોકટર હાઉસની બાજુમાં, કાલાવડ રોડ ખાતે નિઃશુલ્‍ક ધોરણે સમુહલગ્નનું આયોજન કરાયું છે.

સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્‍ડેશન પ્રેરીત અને સોરઠીયા રજપૂત યુવાશકિત ગ્રુપ તથા સોરઠીયા રજપૂત વિમેન્‍સ ફેડરેશન આયોજીત આ સમુહલગ્નમાં ૬ યુગલો પ્રભૂતામાં પગલા પાડશે.

આ અવસરે પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદ રામભાઇ મોકરીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપભાઇ ડવ, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા સહિતના મહેમાનો તેમજ જ્ઞાતિ આગેવાનો, સંતો-મહંતો પધારી નવયુગલોને આશિર્વચનો આપશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંપૂર્ણાનંદજી રજપુત ફાઉન્‍ડેશનના પ્રમુખ વિજયભાઇ ચૌહાણ, સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ કાર્તિક ચૌહાણ, અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત યુવા શકિતના પ્રમુખ મુકુન્‍દભાઇ રાઠોડ, સોરઠીયા રજપૂત યુવા શકિત ગ્રુપના પ્રમુખ નિલેશ સોલંકી, સોરઠીયા રજપૂત વિમેન્‍સ ફેડરેશનના પ્રમુખ શ્રીમતી ઇલાબેન ખેરના માર્ગદર્શન હેઠળ સમુહલગ્ન સમિતિના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:27 pm IST)