Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અભાવિપ દ્વારા તિરંગા યાત્રા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહાનગર દ્વારા આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ૧૦૦ મીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતુ. આ તિરંગા યાત્રા રાષ્‍ટ્રીય મહાશાળાએથી પ્રારંભ થઇ યાજ્ઞિક રોડ થઇ કોટેચા ચોક ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં એબીવીપીના ૧૪૦ થી વધુ કાર્યકર્તા જોડાયા હતા. આ તિરંગા યાત્રાને મેયર ડો. પ્રદીપભાઇ ડવ અને એપીવીપીના પ્રદેશ ઉપાધ્‍યક્ષ નવીનભાઇ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. વિવિધ યુનિવર્સિટી અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા. તેમ અભાવિપના સહ કાર્યાલય મંત્રી ઉદયભાઇ જોષીની યાદીમાં જણાવાયુ છે.

 

(3:47 pm IST)