Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મનપાના 1 BHK ના ૯૯૧ ફલેટ સામે ૨૫૩૯ ફોર્મ આવ્યા

૯૪૩૯ ફોર્મનો ઉપાડઃ આવાસના ફોર્મ મનપાના તમામ સિવિક સેન્ટર તથા ICICI બેંકની તમામ શાખામાંથી તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં પરત આપી શકાશે : માહીતી આપતા પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, વર્ષાબેન રાણપરા, અમિત અરોરા : ૭૦ લોકોએ ઓનલાઇન ફોર્મ ભર્યા

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS -1ના ૯૯૧ આવાસોનું તા. ૪ થી  જાન્યુઆરીથી  ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. આજ સુધીમાં ૨૫૩૯ ફોર્મ પરત આવ્યા છે. તા.૩૧ જાન્યુઆરી સુધીમાં આવાસ યોજનાના ઓનલાઇન - ઓફલાઇન ફોર્મ ભરી શકાશે. આવાસના ફોર્મ મેળવવા તથા ભરીને આપવા માટે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની જુદી-જુદી શાખાઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે.

 આજ દિન સુધીમાં લાભાર્થીઓ દ્વારા ૯૪૩૯ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જે પૈકી ૨૫૩૯ ફોર્મ અરજદારોએ ભરીને જમા કર્યા છે. જેમાં ૭૦ લોકોએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે.

 આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાની સંયુકત યાદીમાં જણાવે છે કે,શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘર નું સ્વપ્ન સાકાર થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે.જેના અનુંસધાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી અને વાવડી વિસ્તારમાં આવેલ EWS -1 ના પૈકી બાકી રહેલ ૯૯૧ આવાસોની બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત તા.૩૧ સુધીમાં  આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ  આપી શકાશે.  EWS -1નાં આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

EWS -1 : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

EWS -1 : આ યોજના હેઠળ આવાસોનો લઘુત્ત્।મ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી બપોરના ૩.૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધીનો રહેશે.

(3:22 pm IST)