Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટના મંત્રી તરીકે અમુભાઈ ઉનાગરની સર્વસંમતિથી વરણી

રાજકોટઃ વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના મંત્રી રમેશભાઈ ગોંડલિયાનું અવસાન થતા તાજેતરમાં કારોબારીની મીટીંગ મળેલ. જેમાં મંત્રી રમેશ ગોંડલિયા અને સદસ્ય સુરેશભાઈ ગોંડલિયાને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ. કારોબારીની સર્વસંમતિથી અમુભાઈ ઉનાગરની મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ. પ્રમુખ મનસુખભાઈ ધંધુકિયાની રાહબારી હેઠળ મંત્રી સ્વ. રમેશભાઈ ગોંડલિયાને નિવાસ સ્થાને મળેલ મીટીંગમાં કેતન ગોંડલિયા, અતુલ ગોંડલિયા અને મિતેષ ગોંડલિયાના હસ્તે તેમજ રમેશભાઈ ગોંડલિયાએ કરેલ વહીવટી સાહિત્ય અને હિસાબના ચોપડા, બેન્ક બેલેન્સ નવનિયુકત મંત્રી શ્રી અમુભાઈ ઉનાગરને સુપ્રત કરવામાં આવેલ. આ તકે યુવક મંડળના કારોબારી સભ્યો તેમજ જ્ઞાતિના આગેવાન કે.ડી. ગોંડલિયા, બેચરભાઈ ગોંડલિયા, ખજાનચી દિલખુશભાઈ ગોંડલિયા, સહમંત્રી હસમુખભાઈ ધંધુકિયા અને જાબાલ કંટકિયા વગેરે ઉપસ્થિત રહી રમેશભાઈની કામગીરી બદલ તેમના પરિવારનો આભાર માનેલ.

(3:12 pm IST)