Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પેટરબારમાં જગ-જયંત તીર્ર્થ ધામનો ઉદઘાટન સમારોહ સંપન્ન

પેટરબાર ઝારખંડના આંગણે પરમ દાર્શનિક ગોંડલ કચ્છ શિરોમણી પૂજય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબના સ્મૃતિ મંદિરનો ઉદદ્યાટન સમારોહ મધ્યે તા.૨૬  ના રવિવારે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા.,  પૂ. શ્રી પંથકમુનિ મ. સા., પૂ. શ્રી સોહમમુનિ મ. સા., પૂ. શ્રી દર્શનાજી મહાસતીજી આદિના સાનિધ્યે પૂર્વ ભારતના અનેક સંદ્યોની ઉપસ્થિતિમાં ધર્મવત્સલા કાજલબેન કિરણભાઈ બાટવીયાના હસ્તે રજત ચાવીથી સ્મૃતિમંદિર ઉદદ્યાટન થયા બાદ   પલ્લવીબેન વિનુભાઈ મહેતાના હસ્તે સ્મૃતિ પ્રતિક અર્પણ કરીને જયંત ગુરૂવરના જયજયકાર સાથે સંપન્ન થયેલઆ અવસરે ઝરીયા, બોકારો, ધનબાદ, ટાટાનગર, કોલકતા, બિલાસપુર, કત્રાશ આદિ અનેક સંઘે ઉપસ્થિત રહેલ. માતૃશ્રી તારાબેન મોદી પરિવારની સાધર્મિક ભકિત અને શ્રી મધુભાઈ ગાંઠાણીના ભંડારામાં ૧૨,૦૦૦ લોકોને જમણવાર થયે માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર તરફથી ઝરીયા અને કત્રાશ ઉપાશ્રયના નુતનીકરણ લાભ લેવાતા હર્ષ  નાદ છવાયેલ.

(3:32 pm IST)