Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

થોરાળાના રામનગરમાં અરબાઝે પત્નિ રિસામણે જતાં ફાંસો ખાધો

માતા જોઇ જતાં દેકારો મચાવ્યોઃ નીચે ઉતારી સારવારમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૮: નવા થોરાળાના રામનગર-૨માં રહેતાં અરબાઝ રફિકભાઇ રાઉમા (ઉ.વ.૨૨)એ રાત્રે પોતાના રૂમમાં ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ તેના માતા આવી જતાં દેકારો મચાવતાં ઘરના સભ્યો દોડી આવતાં તેને નીચે ઉતારી લીધો હતો અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રામજીભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી. અરબાઝ ગાડીમાં મજૂરી કરવા જાય છે. એક વર્ષ પહેલા તેના લગ્ન થયા છે. હાલમાં પત્નિ રિસામણે જતી રહી હોઇ માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું પરિવારજને જણાવ્યું હતું.

(1:17 pm IST)