Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

માધાપરના પ્રજાપતિ મહિલા લીલાબેન વાડોલીયાનું બેભાન હાલતમાં મોત

અમૃતા સોસાયટીના દિનેશભાઇ મકવાણાનું છાતીના દુઃખાવાથી મોત

રાજકોટ તા. ૨૭: માધાપર પાસે મનહરપુર-૧માં દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતાં લીલાબેન દિનેશભાઇ વાડોલીયા (ઉ.૫૦) નામના પ્રજાપતિ મહિલાને વાલ્વ અને શ્વાસની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ એનિમલ હેલ્પલાઇનમાં કામ કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ નંદા હોલ પાસે મિનાક્ષી સોસાયટી-૧માં રહેતાં દિનેશભાઇ અમૃતલાલ મકવાણા (ઉ.૪૨) નામના યુવાનને ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:58 pm IST)