Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

શ્રી ગુર્જર સુથાર સીનરોજા પરિવારનું રવિવારે સ્નેહમીલનઃ વિદ્યાર્થી સન્માન

 રાજકોટઃ તા.૨૭, આગામી તા.૩૧ને રવિવારે સમસ્ત સીનરોજા પરિવાર દ્વારા શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે સાંજે ૫ વાગ્યા થી સ્નેહ મીલન-૪નું આયોજન કરવામાં આવેલ છે.

સ્નેહમીલનમાં એલ.કે.જી. થી કોલેજ સુધીના સીનરોજા પરિવારના બધાજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત  ભેટ આપવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા સીનરોજા પરિવારના ભુપેન્દ્રભાઇ, હર્ષદભાઇ, ગોપાલભાઇ, અમિતભાઇ, વિપુલભાઇ, નિરવભાઇ, નીલેશભાઇ, વિજયભાઇ,  મનોજભાઇ, જીતેન્દ્રભાઇ, મયુરભાઇ, ગીરીશભાઇ, તેમજ સીનરોજા પરિવારના વડીલો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહયા છે, વધુ માહિતી માટે ભુપેન્દ્રભાઇ ૯૪૨૭૨૦૬૮૮૯, હર્ષદભાઇ ૯૯૨૫૧૨૯૨૪૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 pm IST)