Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાજકોટમાં ૩૧ માર્ચ સુધીમાં તમામ રેશનકાર્ડનું આધાર લીંક અપ કરી નાખોઃ પુરવઠા સચિવ

રાજકોટ : આજે રાજયનાં પુરવઠા સચિવ, સંગીતા સિંઘ દ્વારા રાજયભરનાં કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં રેશનકાર્ડનું આધાર કાર્ડ સાથે લીંક અપ કરવાની કામગીરી અંગે સમીક્ષા કરાઇ હતી.

આ સમીક્ષા દરમિયાન રાજકોટ શહેર - જીલ્લામાં રેશનકાર્ડ-આધાર કાર્ડનાં લીંક -અપની કામગીરી ૮૯.૬૩ ટકા થઇ હોવાનો રીપોર્ટ કલેકટર તંત્ર દ્વારા અપાયો હતો. જેથી હવે ૧૦ થી ૧ર ટકા કામગીરી બાકી છે. તેને ૩૧ માર્ચ ર૦૧૮ સુધીમાં પુર્ણ કરી દેવા પુરવઠા સચિવે તાકીદ કરી હતી.

(3:14 pm IST)