Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

પરમ દિ' અગ્નિસ્નાન કરી લેનારા સરપડદડના પટેલ વૃધ્ધાનું મોત

શાંતાબેન લુણાગરીયાએ માનસિક બિમારીને લીધે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૭: પડધરીના સરપદડમાં રહેતાં શાંતાબેન શામજીભાઇ લુણાગરીયા (ઉ.૭૦) નામના લેઉવા પટેલ વૃધ્ધાએ સોમવારે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ઘરે અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું ગત રાત્રે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ શામજીભાઇ ખેતી કરે છે. માનસિક બિમારીથી કંટાળીને પોતે આ પગલું ભર્યાનું શાંતાબેને સારવારમાં હતાં ત્યારે  જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(11:14 am IST)