Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગામડે જવા માટે બસમાં બેસે એ પહેલા નિવૃત ફોૈજીની 'જિંદગીની સફર' પુરી

પુનિતનગરના મામૈયાભાઇ બોરીચાનું બસ સ્ટેશનમાં હાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ૨૭: જિંદગીની સફરનો અંત ગમે ત્યારે આવી જતો હોય છે. ગોંડલ રોડ પુનિતનગર-૬માં રહેતાં નિવૃત ફોૈજી મામૈયાભાઇ કવાભાઇ માવલા (ઉ.૭૦) નામના બોરીચા આહિર વૃધ્ધ સાથે આવુ જ કંઇક બન્યું છે. તેઓ ગત રાત્રે બહારગામ જવા શાસ્ત્રી મેદાનના નવા બસ સ્ટેશન ખાતે ગયા હતાં અને પ્લેટફોર્મ નં. ૧૯ પર બસની રાહ જોતા હતાં ત્યારે હાર્ટએટેક આવી જતાં જિંદગીની સફરનો અંત આવી ગયો હતો.

રાત્રે અજાણ્યા વૃધ્ધનું પ્લેટફોર્મ પર મોત નિપજ્યાની જાણ ૧૦૮ના ઇએમટી જયદિપભાઇએ જાણ કરતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. એન. વી. સાંખરા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. મૃતક વૃધ્ધ પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે તપાસ થતાં તેઓ નિવૃત ફોૈજી મામૈયાભાઇ માવલા હોવાનું ખુલ્યું હતું.

મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રો છે. રાત્રે મામૈયાભાઇ કામ સબબ ગામડે જવા નીકળ્યા હતાં. પણ બસમાં બેસી સફર શરૂ કરે એ પહેલા જિંદગીની સફરનો અંત આવી ગયો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:14 am IST)